મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ


SHARE











મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા યુવાનને રૂપિયાની જરૂર હોય બે શખ્સો પાસેથી 30 ટકાના ઊંચા વ્યાજે જુદા જુદા સમયે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેની સામે વધુ રકમ વ્યાજની ચૂકવી દીધી હોવા છતાં યુવાન પાસેથી બળજબરીથી વધુ પૈસા પાડવા માટે તેને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને અગાઉ વ્યાજખોરોએ લીધેલા કોરા ચેકને બેંકમાં ભરીને ચેક રિટર્ન કરીને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા પારસભાઈ રમેશભાઈ રૈયાણી (32) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પરબતભાઈ સવજીભાઈ રબારી રહે. કોયલી તથા નિકુંજ ઉર્ફે નીતિનભાઈ વાસિયાંગભાઈ જારીયા રહે. ગજડી તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ 2025 ના 10 માં મહિનામાં તેને રૂપિયાની જરૂર હોવાથી અલગ અલગ તારીખે 30 ટકાના ઊંચા માસિક વ્યાજે પરબતભાઈ રબારી પાસેથી 4,00,000 તથા નિકુંજ પાસેથી 1,50,000 રૂપિયા લીધેલા હતા અને જેની સામે આરોપીઓએ તેની પાસેથી ગેરંટી તરીકે ફરિયાદીની સહી વાળા કોરા ચેક લીધેલા હતા અને હાથ ઉછીના રૂપિયાનું લખાણ કરાવી લીધું હતું અને ફરિયાદીએ આરોપી પરબત રબારીને અત્યાર સુધીમાં 8.40 લાખ તથા નિકુંજ જારીયાને 1.35 લાખ રૂપિયા વ્યાજના ચૂકવી આપેલ છે તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ અને મૂળ રકમની અવારનવાર બજબરીપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી આટલું નહીં પરંતુ ફરિયાદી પાસેથી અગાઉ લેવામાં આવેલા કોરા ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્નનો કેસ કરવા માટેની ધમકી આપી નોટિસ મોકલાવી હતી અને માનસિક ત્રાસ આપ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News