ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત


SHARE











ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત

ગોંડલ રોડ પેટ્રોલ પંપ પર ટેન્કર ખાલી કરવા મુકી આરામ કરવા ગયા અને પછી ઉઠ્યા જ નહીં, પરિવારમાં શોક

ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. મૃતક રાજકોટમાં ગોંડલ રોડ પેટ્રોલ પંપ પર ટેન્કર ખાલી કરવા મુકી આરામ કરવા ગયા અને પછી ઉઠ્યા જ નહોતા. હાલતમાં હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, હીરાભાઈ લાખાભાઈ જારીયા (ઉંમર વર્ષ 48, રહે.ગજડી ગામ, તાલુકો ટંકારા) પેટ્રોલ ડીઝલનું ટેન્કર ચલાવતા હતા. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા આસપાસ પોતે રાજકોટમાં ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ ખાતે તેમના મિત્ર ખોડાભાઈ સાથે ટેન્કર ખાલી કરવા માટે ગયા હતા. પેટ્રોલ પંપ ખાતે ટેન્કર ખાલી કરવા મૂક્યું હતું. દરમિયાન હીરાભાઈ એ તેમના મિત્ર ખોડાભાઈને જણાવ્યું હતું કે મને ગરમી થાય છે તેથી થોડી વાર અંદર જઈને આરામ કરી લઉં. હીરાભાઈ પેટ્રોલ પંપ ખાતે કેબિનમાં જઈને સૂઈ ગયા હતા. ટેન્કર ખાલી થતા ખોડાભાઈ તેમને ઉઠાડવા ગયા પરંતુ હીરાભાઈ બેભાન અવસ્થામાં હોવાનું જણાયું હતું. જેથી 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે હીરાભાઈને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે, હીરાભાઈ પાંચ ભાઈ અને એક બહેનમાં મોટા હતા અને અપરણિત હતા. તેમના અવસાનથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News