મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત


SHARE













ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત

ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તેમાં સાત જેટલા મહિલાઓ બેઠેલા હતા અને રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાની રીક્ષા ચલાવીને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રૉલીમાં પાછળથી રિક્ષા અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક સહિત કુલ આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી આ અકસ્માતના બનાવમાં એક મહિલ અને એક યુવતીને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના વીશીપરા વિસ્તારમાં સરકારી વાડી પાસે રહેતા ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી (35)એ હાલમાં ગફુરભાઈ સિકંદરભાઈ જામ રહે. મોરબી વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા લતીપર રોડ ઉપર આવેલ હીરાપર ગામ પાસેથી આરોપીએ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 1296 પૂર ઝડપે ચલાવી હતી અને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગમાં રિક્ષાને અથડાવી હતી જેથી કરીને ફરિયાદીને તથા રીક્ષા ચાલકને પોતાને તેમજ રેમાબેન, જીન્નતબેન, ફીજાબેન, હસીનાબેન, સલમાબેન અને નજમાબેનને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જે પૈકી રેશ્માબેન ગફુરભાઈ જામ (૧૮) રહે કુલીનગર મોરબી અને જીન્નતબેન મહમદહુશૈન સંઘવાણી (૩૯) રહે. મિયાણાવાસ બેડેશ્વર જામનગર ને વધુ ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News