ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત


SHARE













મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત

મોરબી નજીક આવેલા અજંતા કારખાનાના ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધ પથારીવસ હોય કોઈ કારણોસર તેનું મોત નીપજ્યું છે જ્યારે મોરબીના પાવડીયારી નજીક આવેલ કારખાનામાં રહેતા યુવાનને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને સારવારમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજતા આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ અજંતા કારખાનાના લેબર ક્વાર્ટર માં રહેતા નરેશભાઈ વેરશીભાઈ દધુકિયા (60) નામના વૃદ્ધનું 19 વર્ષ પહેલાં એકસીડન્ટ થયું હતું અને તેઓ પથારીવસ હતા દરમિયાન ગઈકાલે કોઈ કારણોસર તેઓનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા બનાવમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક અલાસ્કા કારખાનાના ક્વાર્ટરમાં રહેતા ઉમેશભાઈ બાબુભાઈ (39) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે તેને એકદમ પેટમાં દુખાવો ઉપડ્યો તો જેથી કરીને મહેન્દ્રભાઈ તેને સારવાર માટે લઈને આવી રહ્યા હતા દરમિયાન હોસ્પિટલે પહોંચ્યા ત્યાં યુવાન મૃત હાલતમાં પહોંચ્યો હોય આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News