મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો


SHARE











મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો

મોરબીના મચ્છુ-2 ડેમમાં આવતી નર્મદાની કેનાલના છેડા પાસે યુવાનો ન્હાવા માટે રવિવારે બપોરે ગયા હતા ત્યારે એક સગીર ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબેલા સગીરને શોધવા માટેની શોધખોળ કરી હતી જોકે, સગીરનો પાણીમાંથી કોઈ પત્તો લાગેલ ન હતો જેથી રાજકોટ અને જામનગરથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી ત્યાર બાદ 45 કલાકે પાણીમાં ડૂબી ગયેલા સગીરના મૃતદેહને બહાર કાઢીને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

મોરબીના રફાળેશ્વર ગામે મોરબીનથી સગીર સહિત કુલ ત્રણ વ્યક્તિ ગયા હતા અને ત્યાંથી પાછા આવતા સમયે મોરબીની નીલકમલ સોસાયટી જેલ રોડ ઉપર રહેતા દીપકભાઈ સોલંકીનો 17 વર્ષનો દીકરો સાહિલ અને તેની સાથે અન્ય બે યુવાન મચ્છુ-2 ડેમ પાસે આવેલ નર્મદાની કેનાલના છેડા પાસે ન્હાવા માટે ગયા હતા ત્યારે સાહિલ ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ટીમ ત્યાં દોડી ગયેલ હતો અને રવિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પાણીમાંથી સગીરનો પત્તો લાગ્યો ન હતો જેથી રાજકોટ અને જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ મંગળવારે સવારે 11 વાગ્યાના આસરામાં તે સગીરનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આમ મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ પાણીમાંથી મળ્યો હતો.






Latest News