મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી


SHARE













મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ફેઝ-૨ ની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ઐતિહાસિક મણીમંદિરથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ અને મોરબીવાસીઓ જોડાયા હતા.

વંદે માતરમ્ @ ૧૫૦’ ના આ દ્વિતીય તબક્કાની ઉજવણી દ્વારા મોરબી જિલ્લામાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આયોજિત આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ મણીમંદિર ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચી હતી. જ્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વંદે માતરમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ભારતના સંવિધાન અને સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.






Latest News