મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો


SHARE











મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો

મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને ફરી એકવાર પોતાની સજ્જતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. નોકરીના સ્થળે એક સગીરા સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરનાર શખ્સને અભયમની ટીમે સ્થળ પર પહોંચી કાયદાનું ભાન કરાવ્યું હતું.

૧૮૧ હેલ્પલાઇન પર એક સગીરાનો મદદ માટે ફોન આવ્યો હતો કે, તે જ્યાં નોકરી કરે છે ત્યાં એક વ્યક્તિ દ્વારા તેની છેડતી કરવામાં આવી છે. આ ગંભીર માહિતી મળતા જ અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ વિરમભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટીમે સૌપ્રથમ ગભરાયેલી સગીરાને સાંત્વના આપી તેને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીરા છેલ્લા છ મહિનાથી તેની માતા સાથે એક કંપનીમાં નોકરી કરે છે, જ્યાં એક શખ્સે તેની સાથે અયોગ્ય છેડતી કરી હતી. શરૂઆતમાં છેડતી કરનાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હતો, પરંતુ અભયમ ટીમે સ્થળ પરના સીસીટીવી કેમેરાની તપાસ કરી અને કાયદાકીય રીતે કડકાઈપૂર્વક પૂછપરછ હાથ ધરતા આખરે શખ્સે કબૂલાત કરી હતી.


અભયમ ટીમની કડક કાર્યવાહી બાદ તે વ્યક્તિએ સગીરાની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી હરકત ફરી ન કરવાની લેખિત ખાતરી આપી હતી. ટીમે સગીરાને તેના કાયદાકીય અધિકારો અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સગીરા અને તેની માતાએ છેડતી કરનાર વ્યક્તિની માફી અને પસ્તાવાને ધ્યાને રાખી આગળની કાર્યવાહી ન કરવાની ઈચ્છા દર્શાવતા સ્થળ પર જ સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. મુશ્કેલીના સમયે વ્હારે આવેલી ૧૮૧ અભયમ ટીમનો સગીરા અને તેના પરિવારે આભાર માણ્યો હતો.






Latest News