મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા


SHARE











મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા

મોરબી વિસ્તારમાં રજડતા કુતરાનો આતંક વધી રહ્યો છે તેવામાં મોરબી શહેરી અને ગામડામાં કુલ મળીને બાળક સહિત કુલ મળીને 10 જેટલા લોકોને જુદાજુદા વિસ્તારમાં કૂતરાએ બચકાં ભરી લીધેલ છે. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કૂતરાએ આતંક મચાવી દીધો હોય તેવી રીતે એક જ દિવસમાં કુલ મળીને 10 જેટલા લોકોનો જુદાજુદા વિસ્તારમાં બચકાં ભરી લીધેલ છે જેથી તેઓને સારવારમાં લઈને આવ્યા હતા અને જે વ્યક્તિને કૂતરાએ બચકાં ભરેલ છે તેમાં ભાર્ગવ દેવજીભાઈ (16) રહે. સામાકાંઠે મોરબી, આરજુબેન રીયાઝભાઈ (5) રહે. રણછોડનગર, ટીનાબેન સુમલાભાઈ (43) રહે. ઘુનડા, કિશોરભાઈ ઉકાભાઈ (40) રહે. લખધીરનગર, નરસીભાઈ રવજીભાઈ (65) રહે. ગોકુલનગર શનાળા, શર્માબેન પ્રકાશભાઈ (21) રહે. ખાનપર, રાકેશભાઈ નાનાભાઈ (30) રહે. મોરબી, પુનમબેન મગનભાઈ (60) અને તેજલબેન કણઝારીયા (27) રહે. વાધરવા સહિતના લોકોનો સમાવેશ થાય છે.






Latest News