મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીમાં આવેલ ગજાનન કુડ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટરને ચેક રીટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે અને ૧૫ લાખનું વળતર ૯ % વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, આરોપી જીજ્ઞેશભાઈ ગજાનનભાઈ જાની તે પ્રોપરાઈટર ઓફ ગજાનન ફુડ એન્ટરપ્રાઈઝ અને ફરીયાદી દેપાણી દીપેશભાઈ શુરેશભાઈ પાસેથી આરોપીને બેસ ઓઈલની જરુરીયાત હતી અને આરોપી તેમજ ફરીયાદી એકબીજાના સંપર્કમાં હતા. જેથી ઉધારમાં માલ ખરીદી કરી હતી અને તે માલની રકમ ૭,૬૩,૨૯૨ રૂપિયા ફરીયાદી આરોપી પાસે માંગતા હતા જેથી આરોપીએ તેની બેંકનો ચેક આપેલ હતો અને તે ચેક રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ આરોપીને તા. ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ નોટીસ મોકલાવેલ હતી છતા આરોપીએ નોટીસનો કોઈ જવાબ આપેલ ન હતી અને રકમ પરત આપી ન હતી. જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ જે.ડી. સોલંકી તથા જયેશ પટેલ મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ હતી.

આ કેસ મોરબીના મહે. બીજા ચીફ. જયુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ કોર્ટે આરોપી જીજ્ઞેશભાઈ ગજાનનભાઈ જાનીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને ફરીયાદીને વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ ૭,૬૩,૨૯૨ ની ડબલ રકમ ૧૫,૨૬,૫૮૪ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કરેલ છે અને આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે મોરબીના યુવા એડવોકેટ જે.ડી. સોલંકી તથા જયેશ પટેલ, મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, વીરેન્દ્રસીંહ રાઠોડ, આરતી અમૃતીયા, જીતેન્દ્ર વાઢેર, હીના સાગઢીયા, વીરલ છનીયારા, જયકાંત મકવાણા રોકાયેલા હતા.






Latest News