મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ


SHARE











મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ

મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે વેક્સીનેશન કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં ફક્ત હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફતે હજયાત્રાએ જતા હજયાત્રીઓ માટે જ તા. ૧૩/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વેક્સીનેશન કેમ્પ યોજાશે, જેમાં હજયાત્રીઓએ કવર નંબરનો લેટર, પાસપોર્ટ સાઈઝ ફોટો, મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટની નકલ તથા કોવિડ વેક્સીનેશ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે. તેવું અધિકારી જણાવ્યુ છે. 






Latest News