મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ


SHARE











મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ

દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ એસએસસી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં કુલ ૧૭૦ વિદ્યાર્થીઓનું રેજીસ્ટ્રેશન થયેલ હતું.જેમાંથી ૧૫૫ વિદ્યાર્થીઓએ હાજર રહીને બોર્ડ પરીક્ષાનો અનુભવ લીધો હતો.

માર્ચ માસમાં યોજાનાર બોર્ડની પરીક્ષા પહેલા ફેબ્રુઆરી મહીનામાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજાઇહતી.જેમા બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય તે હેતુથી અહીંની ગીતાંજલી સ્કુલ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ લાવી શકાય, અલગ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ કેવો હોય તે વિદ્યાર્થી સમજે, રસીદ, ઉતારવહી, બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર, પુરવણી વિગેરે જેવી બાબતોન વિદ્યાર્થીઓને મહાવરો થાય તેમજ વિદ્યાર્થીના મનમાં રહેલી સમસ્યાનું સમાધાન લાવી શકાય તે રીતે સફળપુર્વક આ પરીક્ષા પૂર્ણ થઈ હતી.

બોર્ડની પરીક્ષાની જેમ જ બ્લોક મુજબ બેઠક વ્યવસ્થા એક વર્ગમાં ૩૦ વિદ્યાર્થી, રસીદ, બારકોર્ડ, ખાખી સ્ટીકર વિગેરે દ્વારા આબેહૂબ બોર્ડ પરીક્ષાનું આયોજન થયું હતુ.અનુભવી સ્ટાફ દ્વારા આયોજનબધ્ધ સુચારૂ સંચાલન કરી બોર્ડની પરીક્ષાનો માહોલ ઉભો કરવામાં સફળ રહ્યા હતા જેનો ફાયદો વિદ્યાર્થીને મળ્યો હતો.સાથે સાથે વિદ્યાર્થીમાં રહેલ પરીક્ષાનો ડર, વિદ્યાર્થીની અંદર રહેલ પરીક્ષાનો હાવ દૂર થાય અને પૂર્વ અનુભવ કેળવાય અને વિદ્યાર્થી ચિંતામુક્ત થઇ પરીક્ષા આપે એવા ઉદ્દેશથી આ પરીક્ષા યોજાય હતી.જેમાં શાળાને સફળતા મળી હતી.ઘણા વિદ્યાર્થીએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા અને નીડરતાથી પરિક્ષા આપી હતી.આ સાથે આગામી બોર્ડની પરિક્ષા આપનાર મોરબીના તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે શુભકામના સાથે સારૂ પરિણામ લાવી માતા-પિતા અને ગુરૂનું નામ રોશન કરો તેવી શુભઆશિષ પાઠવી હતી.






Latest News