બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત


SHARE











ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત

મોરબી જિલ્લામાં આવેલા ટંકારા ખાતે રહેતા અને સ્કુલ બસનું ડ્રાઇવિંગનું કામકાજ કરતા રબારી યુવાનને થોડા દિવસો પહેલા હાઇબીપી થયું હતું અને દરમિયાનમાં તેના મગજની નશ ફાટી જતા તે યુવાન બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો.જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જોકે ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે

રાજકોટ હોસ્પિટલના સુત્રો તથા મૃતકના પરિવારજનો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટંકારાનો રહેવાસી મોન્ટુભાઈ જીવરાજભાઈ અજાણા નામનો ૪૦ વર્ષનો રબારી યુવાન ગઈ તા.૨-૨-૨૬ના રોજ સવારે ૮:૩૦ વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતો.ત્યારે કોઈ કારણસર પડી જતા માથે શરીરે ઇજા થતા રાજકોટની એઇમ્સ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જયાં ચાલુ સારવાર દરમિયાન તા.૪-૨-૨૬ ના રાતના સાડા આઠેક વાગ્યે મોન્ટુભાઇ અજાણાનું મોત થયુ હતુ.બનાવ સંદર્ભે મૃતકના સગા સાગરભાઇ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મોન્ટુભાઇ અજાણા સ્કુલ બસ ડ્રાઇવિંગનું કામકાજ કરતા હતા.જે દિવસે બનાવ બન્યો ત્યારે તેઓને હાઈબીપી થવાથી તેઓ ઢળી પડ્યા હતા અને મગજની નશ ફાટી ગઈ હોય રાજકોટ ખસેડાયા હતા અને જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયુ હતુ.મૃતક અપરણિત હતા અને ચાર ભાઈઓમાં સૌથી નાના હોવાનું જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના ટંકારાની લતીપર ચોકડીથી એકાદ કિલોમીટર નજીક બાઇક સ્સીપ થવાના બનાવમાં ઇજા પામેલા પરસોતમભાઈ ગોવાભાઇ મણીપરા (ઉંમર ૮૩) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી લતીપર ચોકડી પાસે ટંકારાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના વવાણીયા પાસે આવેલ લક્ષ્મીવાસ ખાતે રહેતા અમૃતબેન અંબારામભાઈ કાવર નામના ૭૨ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.તેમજ અણીયારી ટોલનાકા પાસે હળવદ તરફ બે ટ્રક અથડાયા હતા જે બનાવમાં ઇજા પામેલ મયુર રાજેન્દ્રભાઈ મિયાત્રા (૨૪) રહે.શનાળા મોરબીને પણ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બાળક સારવારમાં

હળવદના નવા દેવળિયા ગામે રહેતા પરિવારનો ચંદ્રકાંત મુકેશભાઈ ગડેશીયા નામનો ૧૫ વર્ષનો બાળક પિતાની પાછળ બેસીને બાઈકમાં જતો હતો.ત્યારે વાહનમાંથી પડી ગયો હોય ઈજા પામતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર-ઘુનડા રોડ હનુમાન મંદિર પાસે બાઈકમાંથી પડી જતા અમરશીભાઈ દેવકરણભાઈ પટેલ (૭૨) રહે.એસએમપી ટાવર રેવા પાર્ક મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા.






Latest News