મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત નાગરીકે પોલીસ ભરતીમા દોડ સ્પર્ધા બંધ કરવા કરી માંગ


SHARE













મોરબીના જાગૃત નાગરીકે પોલીસ ભરતીમા દોડ સ્પર્ધા બંધ કરવા કરી માંગ

મોરબીના જાગૃત નાગરિક અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે,

હાલમા પોલીસ ભરતીના તમામ નિયમો બરાબર છે પરંતુ દોડનો નિયમ રદ કરવો જોઈએ.કારણ કે ઉમેદવાર દોડવાની ટ્રાયમાં જાય છે ત્યારે ગુજરાતમા આઠથી દસ યુવાનો દોડની તૈયારી કરતા સમયે હાર્ટ એટેકથી મોત થયેલ છે.ડોકટરી રીપોટમાં પણ આવેલ છે કે આ મૃત્યુ વધુ પડતુ દોડવાથી થયેલ છે.વર્ષો પહેલા જયારે આ નિયમ હતો ત્યારે આટલા વાહનો કે ઘોડા ન હતા.અને ચોરને પોલીસ દોડીને પકડતી જોકે હાલમાં પોલીસને જીપ તથા બાઈકો આપવામા આવે છે.જેનો ઉપયોગ તે આરોપી કે ચોરને પકડવામા કરે છે.આજે એવો કોઈ બનાવ બનતો નથી કે પોલીસ દોડીને આરોપીને પકડયા હોયઆજના યુગમા તમામ જાતના વાહનો સરકારે આપેલ છે.જેથી આ દોડવાનો નિયમ રદ કરવો જોઈએ જેથી ઘણાના લાડકવાયાનો જીવ બચી જશે.તાજેતરમા આવો કિસ્સો મોરબી ખાતે પણ બનવા પામેલ છે.પોતાનો એકનો એક દિકરો પોલીસ ભરતીની તૈયારી કરતો હતો અને ગ્રાઉન્ડમાં દોડવા ગયેલ અને ત્યાંષજ તેને હાર્ટએટેક આવી ગયેલ હજુ પણ આવા કેટલા બનાવ બનશે અને શુ પરિણામ આવી શકે તે કોઈ કહી શકે તેમ નથી.આ મુદો ધણોઍજ ગંભીર છે સરકારે આ બાબતે દોડવાની પ્રકીયા રદ કરવી જોઈએ બાકી બધા નિયમો ભલે ચાલે.ગંભીર વિચારણા કરીને ગુજરાતના યુવાનોના હીતમાં નિર્ણય થાય તેવી તેઓએ માંગણી કરેલ છે.

મહેન્દ્રનગર ગામે પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવા માંગ

હાલમા મોરબી નજીકના મહેન્દ્રનગર ગામની વસ્તી એકાદ લાખ જેવી છે.જયા મહેન્દ્રનગર ખાતે જુનુ બસ સ્ટેન્ડનું જર્જરીત હાલતમાં હતુ જેતે સમયે કોઈ જાનહાની ન થાય તે હેતુથી આ બસ સ્ટેન્ડને પાડી દેવામાં આવેલ.તેને આશરે બે વર્ષ જેવો સમય થયો પરંતુ હજુ નવુ બસ સ્ટેન્ડ બનાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ! હાલમાં ત્યા દરરોજ પાંચસો મુસાફર એસ.ટી.નો લાભ મેળવે છે.પરંતુ બસ સ્ટેન્ડ ન હોવાને કારણે ખુલામાં ટાઢ, તડકો અને વરસાદને કારણે મુસાફર જનતા હેરાન થાય છે.તેમા પણ સ્કુલે જતી વિધાર્થીઓ વધુ હેરાન થાય છે. મહેન્દ્રનગર આ વિસ્તારનુ મુખ્ય મથક છે.જેની આજુ-બાજુ પાંચથી દસ મોટી સોસાયટી આવેલ છે જેનો આ વિસ્તાર ઉપયોગ કરે છે.તેમજ અમદાવાદ તરફ જતી તમામ એસ.ટી.બસો અહીંથી પસાર થાય છે.જેનો હજારો મુસાફરો આ બસ સ્ટેન્ડ ધણુ જ ઉપયોગી છે.તેથી લોકોના હિતમાં અહીંના પી.પી.જોશી દ્વારા જિલ્લા કલેકટરને લેખીતમાં અત્રે બસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે






Latest News