મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી


SHARE











કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સારસકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીઝના જયંતી દીદી આવ્યા હતા અને તેઓ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે જેમ વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે.

મોરબીમાં આજે લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે મોરબી બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરાયું હતુ જેમાં બ્રહ્માકુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બી.કે. જયંતિ દીદી આવ્યા હતા અને તેઓની હાજરીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) અને દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યા યોજાઇ હતી ત્યાર બાદ આ કાર્યક્રમમાં આવેલા મોરબીવાસીઓને સંબોધતા બી.કે. જયંતિ દીદીએ જણાવ્યુ હતું કે, આપણે બધા જ પરમાત્માના સંતાનો છીએ અને બધામાં પોઝિટીવી ઉર્જા છે બસ આપણામાં જ નહીં પરંતુ આપણાંમાંથી બીજાને પણ પોઝિટીવી ઉર્જા મળે તેવી આપણે સહુકોઈએ કરવાની જરૂર છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે. ઉલેખનીય છેકે, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં 48 વર્ષ સુધી પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું હતું અને તેઓ તા. 6/2/2025 ના  રોજ અવસાન પામ્યા હતા જેથી કરીને તેઓની પ્રથમ પૂરણતિથિ નિમિતે તેઓની સ્મૃતિમાં આ કાર્યક્રમ મોરબીના આંગણે કરવામાં આવેલ હતો.






Latest News