મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું


SHARE











પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું

મોરબીમાં રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ નંદનવન પાર્ક ખાતે ફલેટમાં રહેતા વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન તે વૃદ્ધનું બ્રેનડેડ થવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના દીકરા અને પરિવારજનો દ્વારા વૃદ્ધની બંને કિડની તથા લીવરનું અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના થકી અન્ય લોકોને નવજીવન મળશે.

મૂળ મોરબી નજીકના પીપળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ નંદનવન પાર્ક ખાતે ઓપેરા સ્ક્વેર એપાર્ટમેંટના ફ્લેટમાં રહેતા કાંતિલાલ સવજીભાઈ જેઠલોજા (61) નામના વૃદ્ધ અચાનક પોતાના ઘરે ઢળી પડ્યા હતા ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું બ્રેનડેડ થવાના કારણે તેઓનું મોત નીપજયું હતુ અને ત્યાર બાદ વૃદ્ધના દીકરા નવદિપભાઈ જેઠલોજા સહિતના પરિવારજનો દ્વારા કાંતિલાલ જેઠલોજાના અંગદનનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતેથી ખાસ ટીમ રાજકોટ હોસ્પિટલે પહોંચી હતી અને ત્યારબાદ કાંતિલાલના લીવર અને બંને કિડનીનું આંગદાન કરવામાં આવ્યું હતું જેને તાત્કાલિક સ્પેશિયલ કોરિડોર મારફતે રાજકોટથી અમદાવાદ સુધી અંગોને લઈ જવામાં આવેલ છે અને તેને અન્ય દર્દીમાં ટ્રાન્સફર કરવાથી અન્ય વ્યક્તિને નવજીવન મળશે તેવી લાગણી મૃતક વૃદ્ધના દીકરા સહિતના પરિવારે લાગણી વ્યક્ત કરી હતી.






Latest News