મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ


SHARE











મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ કરવામાં આવેલ છે અને "સ્પર્શ   લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન "Ending Discrimination, Ensuring Dignity ("પ્રતિષ્ઠા સુનિશ્ચિત કરીને ભેદભાવનો અંત) થીમ હેઠળ લેપ્રસી દિવસની ઉજવણી સાથે જન જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

૩૦ મી જાન્યુઆરી રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાથે સાથે પુજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પણ હોય ગાંધીજીના નિર્વાણ દિને તા.૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે "સ્પર્શ લેપ્રસી અવેરનેસ કમ્પેઈન" નો શુભારંભ જીલ્લા ક્ષય કેન્દ્ર-રક્તપિત્ત કેન્દ્ર ખાતેથી દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. રક્તપિત્ત મુક્ત ભારત બનાવવા માટે  મહાત્મા ગાંધીજીના સ્વપ્ને પરિપુણૅ  કરવા માટે રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવી, શંકાસ્પદ રક્તપિત્તનાં લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાં દર્દી પ્રત્ય ભેદભાવ ન રાખવાં જણાવ્યું હતું.

"સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન" અતૅગત મોરબી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ તથા જીલ્લા ક્ષય-રરક્તપિત્ત અધીકારી ડો.ધનસુખ અજાણાના સતત માગૅદશૅન હેઠળ કાર્યકમ યોજાયો હતો. તેમજ આ કાર્યક્રમમાં લેપ્રસી રોગ વિશે માન્યતા તથા ગેર માન્યતા વિશે સમજ આપવામાં આવેલ રક્તપિત્ત રોગને તેના લક્ષણોને વહેલા કેમ ઓળખી શકાય  કે રીતે કાળજી રાખી શકાય તે વિશે પિયુષભાઈ જોષીએ  વિસ્તૃત માહિતી આપેલ હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રક્તપિત્તમાં દર્દીઓને અલ્સર કીટ તેમજ એમસીઆર શુઝનું વિતરણ કરી રોગ વિશે માહિતી આપી પ્રોતસાહિત કરેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા રક્તપિત્ત પેરા મેડિકલ વકૅર ધર્મેન્દ્રભાઈ‌ વાઢેર તથા જીલ્લા પ્રોગ્રામ કૉ-ઓરડીનેટર પિયુષભાઈ જોષી, તથા અન્ય તમામ ડીટીસી કમૅચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.






Latest News