મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચંદ્રપુર પાસે યુનિટના ગ્રાઉન્ડમાંથી 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી


SHARE











વાંકાનેરમાં ચંદ્રપુર પાસે યુનિટના ગ્રાઉન્ડમાંથી 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી

વાંકાનેરમાં ચંદ્રપુર પાસે આવેલ દરગાહની પાછળના ભાગમાં એશિયન રિફેકટરી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર લોડર મૂક્યું હતું જેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આવેલ એસટીના વર્કશોપની પાછળના ભાગમાં મનમંદિર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મનોજભાઈ આંબલીયા (41)એ અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાકાનેરના ચંદ્રપુર પાસે મોમીનશા બાવાની દરગાહ પાછળના ભાગમાં આવેલ તેઓના એશિયન રિફેકટરી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર લોડર નંબર જીજે 36 એસ 3691 પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રેક્ટર લોડરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૧૨ લાખના ટ્રેકટર લોડરની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હનુમાન મંદિર પાસે રહેતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ મેરજા નામનો યુવાન સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ બાજુથી ઘર તરફ જતો હતો તે રસ્તે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયેલ હોય ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સામાકાંઠેની શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા ધનજીભાઈ વાઘજીભાઈ પરમાર (45) રહે.રાતાવિડા વાંકાનેરને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા જે અંગે નોંધ કરી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે. તેમજ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કેટોન લેમિનેટના લેબર ક્વાર્ટર ખાતે બીજા માળની  ઊંચાઇએથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલા જયસિંહ શેટ્ટી (ઉમર 29) નામના યુવાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.






Latest News