મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે માળીયા ઉપરથી નીચે પટકાયેલ તરૂણીનું મોત: અમરેલી ગામે ઘરમાં પડી જવાથી ઇજા પામેલ વૃદ્ધનું મોત


SHARE













મોરબીના બગથળા ગામે માળીયા ઉપરથી નીચે પટકાયેલ તરૂણીનું મોત: અમરેલી ગામે ઘરમાં પડી જવાથી ઇજા પામેલ વૃદ્ધનું મોત

મોરબીના બગથળા ગામે ઘરમાં માળીયા ઉપર ચડીને સફાઈ કામ કરતા સમયે તરૂણી ઉપરથી નીચે પડી હતી જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને તે તરુણીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જ્યારે અમરેલી ગામે રહેતા વૃદ્ધા ઘરમાં પડી ગયા હોય તેઓને માથામાં ઇજા થઈ હતી અને તેઓનું પણ સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

મોરબી તાલુકાના બગથળા ગામે બબીકાનગર સોસાયટીમાં રહેતા જસમતભાઈ મકવાણાની 17 વર્ષની દીકરી શોભાબેન પોતાના ઘરે માળીયા ઉપર ચડીને સાફ-સફાઈ કરતી હતી દરમિયાન કોઈ કારણોસર ઉપરથી નીચે ટકાવાના કારણે શોભાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જો કે, ચાલુ સારવાર દરમિયાન શોભાબેનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પિતા જસમતભાઈ ચકુભાઈ મકવાણા (40) રહે. બગથળા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

મોરબી નજીકના અમરેલી ગામે વીસીપરા રોડ ઉપર રહેતા દિવાળીબેન ધરમશીભાઈ ઝંઝવાડીયા (77) નામના વૃદ્ધા ગત તા. 28/ 9 ના રોજ સવારના સમયે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે પડી ગયા હતા જેથી તેઓને શરીરે ગંભી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન દિવાળીબેનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક મહિલાના દીકરા રાજેશભાઈ ધરમશીભાઈ ઝંઝવાડીયા (45) રહે અમરેલી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News