ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભરશિયાળે પાલિકાએ પાણી વિતરણ કર્યું બંધ !: લોકોમાં રોષ


SHARE











વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભરશિયાળે પાલિકાએ પાણી વિતરણ કર્યું બંધ !: લોકોમાં રોષ

વાંકાનેર શહેરમાં આવેલા આશિયાના સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભરશિયાળે આ સોસાયટીની અંદર રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ પાણી શરૂ કરવામાં ન આવતાં પ્રાંત અધિકારીને સોસાયટીના લોકોએ રજૂઆત કરી હતી અને સ્થાનિક લોકોને નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે

વાંકાનેર નગરપાલિકા દ્વારા આશિયાના સોસાયટીની અંદર વર્ષોથી પાણી આપવામાં આવી રહ્યું છે અને હાલમાં આશિયાના સોસાયટીની અંદર રહેતા લોકો દ્વારા નગરપાલિકાના તમામ પ્રકારના વેરા પણ ભરવામાં આવે છે જેમાં વોટર ટેક્સ, હાઉસ ટેક્સ વિગેરેનો સમાવેશ થાય છે તેમ છતાં પણ આ સોસાયટીની અંદર રહેતા લોકોને હદની મારામારીમાં નગરપાલિકા દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી છે અને છેલ્લા લગભગ એકાદ સપ્તાહથી પાણી મળતું ન હોવાથી આશિયાના સોસાયટીની અંદર રહેતા લોકો પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને અગાઉ નગરપાલિકામાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા આશિયાના સોસાયટીની અંદર રહેતા લોકોને પાણી મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી

જેથી કરીને આ વિસ્તારના લોકો વાંકાનેરના પ્રાંત અધિકારી પાસે રજૂઆત કરવા માટે દોડી ગયા હતા અને તેઓની એક જ માંગ છે કે વર્ષોથી નગરપાલિકા દ્વારા તેઓની પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે અને આ લોકો દ્વારા ટેક્સ ભરવામાં આવે છે અને હમણાં સુધી નગરપાલિકા તેઓને પાણી આપતી હતી તો અચાનક શા માટે થઈને આ સોસાયટીની અંદર પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવેલ છે આટલું જ નહિ પાલિકાના કર્મચારી સામે પણ કેટલાક અણીદાર આક્ષેપો સ્થાનિક મહિલાઓ સહિતના લોકો દ્વારા કરવામાં આવેલ છે ત્યારે નગરપાલિકા દ્વારા અગાઉ જે રીતે આ વિસ્તારમાં અગાઉ પાણી વિતરણ કરવામાં આવતું હતું તેવી જ રીતે ફરીથી પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે જોકે આ સોસાયટીની અંદર રહેતા લોકોને પાણી ક્યારથી નિયમિત રીતે મળતું થશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News