મોરબીના બેલા ગામ નજીક કારખાનામાં દિવાલ માથે પડતા યુવાનનું મોત
મોરબીના મકનસર પાસે ચાલુ રિક્ષામાં ઉલ્ટી થવાથી આધેડનું મોત
SHARE
મોરબીના મકનસર પાસે ચાલુ રિક્ષામાં ઉલ્ટી થવાથી આધેડનું મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસેથી રીક્ષામાં બેસીને આધેડ પસાર કરી રહ્યા હતા ત્યારે ચાલુ રિક્ષાએ તેને ઉલટીઓ થવા લાગતાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
વાંકાનેર નજીકના વઘાસીયા ગામે રહેતા અમરવન હરજીવન ગોસ્વામી (54) નામના આધેડ રિક્ષામાં બેસીને મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ મકનસર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચાલુ રિક્ષાએ તેઓને ઉલટી થવા લાગતા તેના ભાઈ સંજયવન તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.