સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 થી વધુ લાભાર્થીઓના કવાર્ટર સીલ


SHARE











મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 થી વધુ લાભાર્થીઓના કવાર્ટર સીલ

મોરબીના બાયપાસ રોડે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવેલ છે અને લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે. જો કે, મૂળ આસામીઓએ મકાન ભાડે આપેલ હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને 20 થી વધુ આવાસના મકાન ભાડે આપેલ હતા જેથી તે મકાનને સીલ કરવામાં આવેલ છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે બાયપાસ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના 608 ફ્લેટ બનાવવામાં આવેલ છે અને તેનો ડ્રો કરીને લાભાર્થીઓને મકાન આપી દેવામાં આવેલ છે જો કે, મૂળ લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી અગાઉ નોટિસ આપવામાં આવેલ હતી. જો કે, ત્યાર બાદ ગુરુવારે મહાપાલિકાની ટિમ ત્યાં પહોચી હતી અને આવાસ યોજના મકાનમાં ભાડુંઆત રહેતા હતા તેવા 20 મકાન સીલ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીથી બચવા માટે અમુક આસામીઓ તેનો સમાન લઈને કવાર્ટરમાં રહેવા માટે આવી ગયા હતા. જેથી તેની સામે હાલમાં કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેમજ ભવિષ્યમાં તેઓ મકાન ભાડે ન આપે તેના માટે સ્થળ ઉપર પંચ રોજકામ કરીને સુચના લગાવવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં ચેકિંગ કરવામાં આવે ત્યારે પણ મૂળ માલિક રહે છે કે પછી ભાડુંઆત તે ચેકિંગ માટે ગયેલ ટીમના ધ્યાને તાત્કાલિક આવી જશે.






Latest News