મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત


SHARE











 મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ તેમજ કન્યા છાત્રાલયના રોડ રસ્તા રીપેરીંગ કરવાની જરૂર છે અને ત્યાં રહેલ ખુલ્લી ગટરના ઢાંકણા નાખવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રી સુરપાલસિંહ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, શહેરના વોર્ડ નં- ૯ માં આવેલ શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ તેમજ જીઆઇડીસીથી કન્યા છાત્રાલય રોડ તથા કન્યા છાત્રાલય રોડથી રાધે કૃષ્ણ સ્કૂલ તેમજ સરદાર રોડ સુધીના રોડ રસ્તા ખૂબ જ બિસ્માર છે તેમજ ગટરના ઢાંકણા તૂટી જવાના કારણે ખુલ્લી ગટર છે જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને હલાકીનો સામનો કરવો પડે છે અને ગટરના ઢાંકણા તૂટી ગયા હોવાથી ગંભીર અકસ્માત થવાની શક્યતા છે જેથી કરીને રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રોડ રસ્તાઓ રીપેરીંગ કરી ગટરના ઢાંકણા નાખવામાં આવે તે અનિવાર્ય છે.






Latest News