મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત


SHARE













 મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ તેમજ કન્યા છાત્રાલયના રોડ રસ્તા રીપેરીંગ કરવાની જરૂર છે અને ત્યાં રહેલ ખુલ્લી ગટરના ઢાંકણા નાખવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રી સુરપાલસિંહ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, શહેરના વોર્ડ નં- ૯ માં આવેલ શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ તેમજ જીઆઇડીસીથી કન્યા છાત્રાલય રોડ તથા કન્યા છાત્રાલય રોડથી રાધે કૃષ્ણ સ્કૂલ તેમજ સરદાર રોડ સુધીના રોડ રસ્તા ખૂબ જ બિસ્માર છે તેમજ ગટરના ઢાંકણા તૂટી જવાના કારણે ખુલ્લી ગટર છે જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને હલાકીનો સામનો કરવો પડે છે અને ગટરના ઢાંકણા તૂટી ગયા હોવાથી ગંભીર અકસ્માત થવાની શક્યતા છે જેથી કરીને રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રોડ રસ્તાઓ રીપેરીંગ કરી ગટરના ઢાંકણા નાખવામાં આવે તે અનિવાર્ય છે.






Latest News