મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ આજે બ્રાહ્મણો તથા અન્ય સમાજ માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે આ સંસ્થાના પ્રમુખ તરીકે સતત ૧૫ વર્ષ સુધી ભુપતભાઈ પંડ્યાએ સેવા આપી હતી અને સમાજના આગેવાનો સાથે મળી પરશુરામ ધામનો ખૂબ જ વિકાસ કર્યો હતો તેમજ સતત સમાજને સંગઠીત બનાવવા તેઓ પ્રયત્ન શીલ રહ્યા હતા. આટલું જ નહીં તેમણે દર રવિવારે મહાપ્રસાદ, કોરોના સમયે કેર સેન્ટર, વિવિધ ધાર્મિક આયોજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન જેવા અનેક સફળ કાર્યક્રમો કર્યા હતા હાલમાં તેઓની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું અને પરશુરામ ધામા માટે યથાયોગ્ય સહકાર આપવાની તેમણે ખાતરી આપી હતી. જેથી તેઓ સેવા નિવૃત થયેલ છે અને તેમની પરશુરામ ધામ અને સમાજ માટેની સેવાની કદર કરીને સમાજના આગેવાનો દ્વારા તેમના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ પરશુરામ ધામના નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાને જવાબદારી સોંપવામાં આવેલ છે ત્યારે તેઓનો આવકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો.અનિલભાઈ મહેતા, ડો. બી.કે.લહેરૂ, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, મુકુંદભાઈ જોશી, સુરેશભાઈ જોશી, વિનુભાઈ ભટ્ટ, દિપભાઈ પંડ્યા, પત્રકાર જીજ્ઞેશભાઇ ભટ્ટ, પત્રકાર હિમાંશુભાઇ ભટ્ટ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને ભૂપતભાઈ પંડયાની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. અને તેઓની તંદુરસ્તી માટે પરશુરામ દાદાને સહુ કોઈએ પ્રાર્થના કરી હતી.






Latest News