મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ


SHARE











વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ

વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે શહેરનાં હાર્દ સમા માર્કેટ ચોક ખાતે રઘુવંશી સમાજ દ્વારા પ્રસાદ વિતરણ કરી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. "દેને કો ટૂકડા ભલા લેને કો હરી કા નામ, જય જય જલારામ" વાંકાનેરમાં ૨૨૨ મી જલારામ જયંતિ  નિમિત્તે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન, આરતી, ભૂદેવોનો ભંડારો, બટુક ભોજન, ભક્તિ સંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા તથા શહેરનાં માર્કેટ ચોક ખાતે રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની મૂર્તિનું પૂજન અર્ચન કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી, રાજ સોમાણી, અમિત સેજપાલજે. કે. રાજવીર, યોગેશભાઈ કારીયા, રાજુભાઈ સોમાણી, હરશીદ સોમાણી સહિત રઘુવંશી સમાજનાં સભ્યો હાજર રહ્યા હતાં અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.






Latest News