મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે પરિણીતાએ પોતાના ઘરની અંદર જ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી કરીને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા મનિષાબેન સુરેશભાઈ ડાભી (૧૮) એ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મનિષાબેનનો લગ્નગાળો ચાર મહિનાનો છે અને સાસુ સસરાથી અલગ રહે છે અને કોઈ સંતાન નથી અને પોલીસ પાસેથી વધુ એવું પણ જાણવા મળ્યું છે કે પરિણીતાના લગ્ન પછી થોડા સમયમાંથી રિસામણે હોય પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરે છે અને આગળની તપાસ ચાલી રહી છે






Latest News