મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો


SHARE











વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી યુવતીને તેના પૂર્વ પ્રેમીએ કથાના જમણવાર દરમિયાન જાહેરમાં ગાળો આપી હતી જેથી તેને ગાળો આપવાની યુવતીએ ના પાડતાં તેનો પુર્વ પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને કમરે બાંધવાના પટ્ટા વડે યુવતીને માર માર્યો હતો જેથી કરીને નાના મોટી ઇજાઓ થવાના કારણે યુવતીએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી અને મજૂરી કામ કરતી પાયલબેન રણછોડભાઈ સિહોરા જાતે કોળી (ઉંમર ૨૦)એ હાલમાં શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપા રહે. લીબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય ત્યાર બાદ અન્ય જગ્યાએ તેની સગાઈ થઈ ગઈ હતી જેથી કરીને આરોપી અને ફરિયાદી એક જ ગામમાં રહેતા હોય કથાના જમણવાર પ્રસંગમાં ભેગા થયા હતા ત્યાં ફરિયાદી પાયલબેનને આરોપી શંકરભાઈએ જાહેરમાં ગાળો આપી હતી જેથી કરીને ગાળો બોલવાની યુવતીએ ના કહેતા ઉશ્કેરાયેલા શંકરભાઈએ કમરે બાંધવાના પટ્ટા વડે પાયલબેનને વાંસા, પગ, સાથળ અને કમરના ભાગે માર માર્યો હતો જેથી કરીને પાયલબેનને ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાયલબેને ફરિયાદ નોંધાવતા પોલીસે શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News