મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો


SHARE











વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી યુવતીને તેના પૂર્વ પ્રેમીએ કથાના જમણવાર દરમિયાન જાહેરમાં ગાળો આપી હતી જેથી તેને ગાળો આપવાની યુવતીએ ના પાડતાં તેનો પુર્વ પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને કમરે બાંધવાના પટ્ટા વડે યુવતીને માર માર્યો હતો જેથી કરીને નાના મોટી ઇજાઓ થવાના કારણે યુવતીએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી અને મજૂરી કામ કરતી પાયલબેન રણછોડભાઈ સિહોરા જાતે કોળી (ઉંમર ૨૦)એ હાલમાં શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપા રહે. લીબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય ત્યાર બાદ અન્ય જગ્યાએ તેની સગાઈ થઈ ગઈ હતી જેથી કરીને આરોપી અને ફરિયાદી એક જ ગામમાં રહેતા હોય કથાના જમણવાર પ્રસંગમાં ભેગા થયા હતા ત્યાં ફરિયાદી પાયલબેનને આરોપી શંકરભાઈએ જાહેરમાં ગાળો આપી હતી જેથી કરીને ગાળો બોલવાની યુવતીએ ના કહેતા ઉશ્કેરાયેલા શંકરભાઈએ કમરે બાંધવાના પટ્ટા વડે પાયલબેનને વાંસા, પગ, સાથળ અને કમરના ભાગે માર માર્યો હતો જેથી કરીને પાયલબેનને ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાયલબેને ફરિયાદ નોંધાવતા પોલીસે શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News