ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન


SHARE











વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિતે યોજાશે અન્નકુટ દર્શન

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે પરંપરાગત યોજાતા અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, હરિભકતો દ્વારા તૈયારીનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે.
કોરોના કાળ દરમ્યાન લાંબા સમય સુધી ધાર્મિક સ્થળો પણ સુમસામ રહ્યા હતાં, તમામ ધાર્મિક આયોજનો પણ બંધ રહ્યા હતાં, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવતાં, લાંબા સમય બાદ ફરી એકવાર વાંકાનેરનું Baps સ્વામિનારાયણ મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું છે, મંદિરને રંગબીરંગી આકર્ષક લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું છે, તા. 5 ને શુક્રવારે નૂતનવર્ષના પ્રારંભે ભવ્ય અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલપ્રકાશ સ્વામીની ઉપસ્થિતમાં ગાઈડ લાઈન મુજબ અન્નકુટ દર્શન યોજાશે, લાંબા સમય બાદ ધાર્મિક આયોજન શરૂ થતાં વાંકાનેર સત્સંગ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી ઉર્મિલાબેન પ્રવીણભાઈ આશર, જયેશભાઈ રામાણી, હંશાબેન રામાણી, મહેંદ્રભાઈ ત્રિવેદી, સુમિતભાઈ ત્રિવેદી સહિતનાં અગ્રણીઓ, હરિભકતો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News