મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE











ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ટંકારા તાલુકાનાં વાછકપર બેડી ગામે રહેતી મહિલાને હાર્ટ એટેક આવતા તે મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, મહિલાનું મોત નીપજયું છે અને ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

જાણવા મળતી માહિતી માહિતી મુજબ ટંકારાના વાછકપર બેડી ગામે રહેતા મિત્તલબેન કૈલાશભાઈ ડોડીયા (૩૬)ને આજે સવારે ૮ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો થતાં તેમને તત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ઇમરજન્સી રૂમમાં ફરજ પર રહેલા ડોકટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહનું પીએમ કરાયું હતું. અને મૃતકના પતિ ખેતીકામ કરે છે. તેમજ તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. તે ચારેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News