મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ


SHARE











ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચે હાલમાં એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ ખોટી હોવાનું કહીને તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવાની માંગ કરી છે.

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના લોકો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યુ છેકે, ઓટાળાના અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા સામે ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમારે એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે જેને લઈને અલ્પેશભાઈ ઘોડાસરા સામે થયેલ એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું કહીને તેની તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવામાં આવે તેવી માંગ કરી છે અને જયારે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં હાજર રહ્યા હતા.






Latest News