ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ


SHARE











મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ. પ્રભારી પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો દ્વારા જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયુ છે તેનો તાત્કાલિક સર્વે કરીને વહેલી તકે તેઓને વળતર આપવામાં આવે તેવી આવેદનપત્ર આપીને કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, અત્યારે એક ગ્રામસેવક અથવા તલાટીને એકથી વધારે ગામની સર્વેની જવાબદારી સોંપવામાં આવી છે જેથી કરીને સર્વેમાં વિલંબ થાય તેવી શક્યતા છે જેથી કરીને ઝડપથી સર્વે કરીને ખેડૂતને જે બે હેકટરની નુકસાનની મર્યાદામાં વળતર આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અંતમાં આપના આગેવાનોએ કહ્યું હતુ કે, આ સરકારમાં ખેડૂતો સાથે અન્યાય થતો આવ્યો છે ત્યારે ખેડૂતોને આ વખતે ન્યાય આપવામાં આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.






Latest News