મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ


SHARE











મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ. પ્રભારી પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો દ્વારા જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયુ છે તેનો તાત્કાલિક સર્વે કરીને વહેલી તકે તેઓને વળતર આપવામાં આવે તેવી આવેદનપત્ર આપીને કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, અત્યારે એક ગ્રામસેવક અથવા તલાટીને એકથી વધારે ગામની સર્વેની જવાબદારી સોંપવામાં આવી છે જેથી કરીને સર્વેમાં વિલંબ થાય તેવી શક્યતા છે જેથી કરીને ઝડપથી સર્વે કરીને ખેડૂતને જે બે હેકટરની નુકસાનની મર્યાદામાં વળતર આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અંતમાં આપના આગેવાનોએ કહ્યું હતુ કે, આ સરકારમાં ખેડૂતો સાથે અન્યાય થતો આવ્યો છે ત્યારે ખેડૂતોને આ વખતે ન્યાય આપવામાં આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.






Latest News