વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વાપરવા અપાતા મેડિકલ સાધનો માટેનું સ્થળ બદલાયું


SHARE











મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વાપરવા અપાતા મેડિકલ સાધનો માટેનું સ્થળ બદલાયું

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદોની સેવા માટે જાણીતું છે, આજની દોડધામ ભરી જિંદગીમાં લોકોનો અકસ્માત થતો હોય છે, પડી જવાથી ફેક્ચર થઈ જતું હોય છે ત્યારે તૂટેલા હાડકાંને સાંધવા માટે ઓછામાં ઓછો ત્રણ માસનો આરામ બેડ રેસ્ટ ખુબજ જરૂરી હોય છે એ વખતે દર્દીને મેડીકલ પલંગની આવશ્યકતા પડતી હોય છે, વ્હીલ ચેર, કાંખ ઘોડી, વોકર, ટેકા માટે લાકડી, યુરોપિયન ટોયલેટ વગેરે વસ્તુઓની જરૂર પડતી હોય છે.

ત્યારે આવા દર્દીઓને ત્રણ માસ જેટલા ટૂંકા સમય માટે આવી મેડિકલ વસ્તુઓ ખરીદવી ન પડે એટલા માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂર હોય ત્યાં સુધી દર્દીઓને વિનામૂલ્યે વાપરવા આપે છે, અત્યાર સુધી રત્નકલા ગાંધીના કારખાનામાં ઉમિયા માનવ સેવા મંડળના કાર્યાલયથી ઉપરોક્ત વસ્તુઓ પ્રાપ્ત થતી હતી પણ હવેથી જેઠાબાપાના મકાનમાં ગૌતમ હોલની બાજુમાં, ગોલ્ડન માર્કેટ સામે, રવાપર ખાતેથી મળશે, અને પાટીદાર પરિવારના પેશન્ટને આવા મેડિકલ સાધનની જરૂરિયાત ઉભી થાય તો હરજીવનભાઈ બાવરવા (9427720043) અને હરજીવનભાઈ વિરમગામા (9377131180) તેમજ મણીભાઈ કાવરનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News