ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં લોકશાહી પદ્ધતિથી મોનિટર-GS ની ચૂંટણી યોજાઈ


SHARE











મોરબીની ભારતી વિધાલય શાળામાં લોકશાહી પદ્ધતિથી મોનિટર-GS ની ચૂંટણી યોજાઈ

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં છેલ્લા 6 વર્ષથી લોકશાહી ઢબે મોનિટર અને GS ની ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ અત્યારથી જ મતદાનનું મહત્વ સમજે અને મતદાનની પ્રક્રિયામાં ભાગ લેતા થાય તે માટે મોનિટર અને GS ની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પત્રકાર, ડોકટર, શિક્ષણ વિભાગના અધિકારી સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને જીવના ઉપયોગી થયા તેવી માહિતી આપી હતી.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં મોનિટરની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવી હતી અને GS ની ચૂંટણી વર્તમાન સમયમાં ચૂંટણીમાં જે EVM મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ ટેક્નિક સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીઇઓ કચેરીમાંથી પ્રવીણભાઈ અંબારીયા તેમજ  સાથી અધિકારીઓએ હાજર રહ્યા હતા. અને તેમણે વિદ્યાર્થીઓને મત આપતી વખતે શું ધ્યાન રાખવું ? અને શા માટે મતદાન કરવું ? તેની માહિતી આપી હતી. 

આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ.અભયરાજસિંહ ઝાલા, ડૉ હાર્દિકભાઈ જેસવાણી અને બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઈ જોશીએ હાજર રહીને લોકશાહીનું શું મહત્વ છે અને એક મતની શું કિંમત છે? તે મુદ્દા પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોરબીના પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ દ્વારા આ તકે ખાસ કરીને ભારતમાં ચૂંટણીની શરૂઆત ક્યારથી કરવામાં આવી?મ શા માટે ચુંટણીમાં અવિલોપીય શાહીનો ઉપયોગ કરવામાં આવે છે? ચુંટણીમાં મતદાન કરતાં પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ ?, લોકશાહીમાં માટની કિંમતી શું ?, ચુંટણીમાં સમજીને મતદાન ન કરવામાં આવે તો તેના ગેરફાયદા શું થયા ?, કેટલા પ્રકારના મતદારો હોય છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી. 

આ તકે મહેમાનો દ્વારા આપવામાં આવેલ માહિતી વિદ્યાર્થીઓને આગામી સમયમાં જ્યારે વાસ્તવિક ચૂંટણીમાં મતદાન કરવા માટે જશે ત્યારે ખૂબ જ ઉપયોગી થશે. આ શાળામાં યોજાયેલ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી, પ્રિસાઇડીંગ ઓફિસર, ફોટોગ્રાફર, બેલેટ પેપર આપનાર, પત્રકાર, વ્યવસ્થાપન અધિકારી જેવા 40 અધિકારીઓ વિદ્યાર્થીઓમાંથી બનાવવામાં આવ્યા હતા. અને મોનિટરની ચૂંટણીમાં કુલ 92.59  ટકા મતદાન અને GS ની ચૂંટણીમાં 94.45 ટકા મતદાન થયું હતું. અને આ કાર્યક્રમના અંતે શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.






Latest News