મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા ગામે ઘરમાં રસોઈ બાબતે દેકારો કેમ કરો છો કહીને યુવાન અને તેની માતાને માર માર્યો


SHARE











ટંકારાના મિતાણા ગામે ઘરમાં રસોઈ બાબતે દેકારો કેમ કરો છો કહીને યુવાન અને તેની માતાને માર માર્યો

ટંકારા તાલુકાના મીતાણા ગામે થોડા દિવસો પહેલા ગાળો બોલવા બાબતે માથાકૂટ થયેલ હતી જે બનાવમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાયેલ છે જેમાં યુવાનને ઘરમાં રસોઈ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે ત્યાં બાજુમાં રહેતા મહિલા અને તેના દીકરાએ તેઓના ઘરે આવીને તમે કેમ દેખારો કરો છો તેવું કહીને યુવાન તથા તેની માતાને ગાળો આપી હતી અને બંનેને લાકડી વડે માર માર્યો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ ત્રણેક દિવસ પહેલા ટંકારા તાલુકાના મીતાણા ગામે શેરીમાં ગાળો બોલવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી અને તે બનાવમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાય છે જેમાં શૈલેષભાઈ નથુભાઈ પારઘી (45) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કેસરબેન ધનજીભાઈ પારઘી અને કેશરબેનના દીકરા યોગેશ રહે. બંને મીતાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી યુવાન તેના ઘરમાં રસોઈ બાબતે બોલાચાલી કરતો હતો ત્યારે આરોપી મહિલાએ ત્યાં આવીને “તમો કેમ દેકારો કરો છો ?” તેમ કહીને ફરિયાદી તથા તેના માતાને ગાળો આપી હતી અને અત્યારે કેસરબેને ફરિયાદીની માતાને માથામાં અને ડાબા હાથે લાકડી મારી હતી જેથી ફરિયાદીની માતાને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને કેસરબેનના દીકરાએ ફરિયાદીને પીઠમાં તથા જમણા હાથ અને પગે લાકડી વડે માર માર્યો હતો. જેથી બીજા પામેલ હાલતમાં ફરીયાદીની માતાને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News