તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે ખેતીના રસ્તા બાબતે ખેડૂત અને તેના ત્રણ દીકરાઓને માર માર્યો: ગન બતાવીને મારી નાખવાની ધમકી


SHARE











ટંકારાના ઓટાળા ગામે ખેતીના રસ્તા બાબતે ખેડૂત અને તેના ત્રણ દીકરાઓને માર માર્યો: ગન બતાવીને મારી નાખવાની ધમકી

ટંકારાના ઓટાળા ગામે ખેતીની જમીનમાં જવાના રસ્તા બાબતે મામલતદાર કચેરીમાં કેસ કરવામાં આવેલ છે જે બાબતનો રોષ રાખીને જમીન લેનાર શખ્સે અન્ય સાત શખ્સોને સાથે રાખીને લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યારે ખેડૂત અને તેના ત્રણ દીકરાને માર માર્યો હતો તેમજ આરોપીએ તેની લાયસન્સ ગન બતાવીને ખેડૂત તેમજ તેના ત્રણ દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ ખેડૂતના દીકરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા નિકુલભાઇ નરભેરામ ઘોડાસરા જાતે પટેલ (29)એ હાલમાં રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા રહે. વાંછકપર તાલુકો ટંકારા તથા તેની સાથે આવેલા સાત શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ઓટાળા ગામની સીમમાં જમીન આવેલ છે અને તેની બાજુમાં બેચરભાઈની જમીન હતી જે તેઓએ આરોપી રોહિતભાઈને વેચી દીધેલ છે અને ફરિયાદીને પોતાની જમીનમાં જવાનો રસ્તો હતો તે રસ્તો આરોપી રોહિતભાઈએ બંધ કરી દીધો હતો જે બાબતે મામલતદાર કચેરીમાં કેસ કરેલ છે જે તેને સારું નહીં લાગતા લોખંડના પાઇપ વડે ફરિયાદીને મારી રાખવાના ઇરાદે તેના માથાના પાછળના ભાગમાં પાઇપનો જીવલેણ ઘા માર્યો હતો અને તેના હાથ ઉપર પણ પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી તેની સાથે આવેલા શખ્સોએ ફરિયાદીને ધોકા વડે વાસા, બંને પગ અને કમરના ભાગે માર મારીને ઇજા કરી હતી

તેમજ ત્યાં હાજર રહેલા ફરિયાદીના ભાઈ વિશાલભાઈને આરોપી રોહિતભાઈએ લોખંડના પાઇપ વડે હાથમાં માર મારીને ઇજા કરી તો ફરિયાદીના ભાઈ કાનજીભાઈને લાકડાના ધોકા વડે છાતીના અને પેટના ભાગે માર માર્યો અને ફરિયાદીના પિતા નરભેરામભાઈને આરોપીઓએ ધક્કો મારીને પાડી દીધા હતા ત્યારબાદ રોહિતભાઈએ તેની પાસે રહેલ લાયસન્સ વાળી ગન બતાવીને સાહેદ તથા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં નિકુલભાઇ ઘોડાસરએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રોહિતભાઈ ફાંગલિયા સહિતનાઓની સામે હત્યાની કોશિશ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News