માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

ટંકારાની PM SHRI સજનપર પ્રા. શાળાનું NMMS પરીક્ષાનું ધમાકેદાર પરિણામ


SHARE











ટંકારાની PM SHRI સજનપર પ્રા. શાળાનું NMMS પરીક્ષાનું ધમાકેદાર પરિણામ

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સરકાર તરફથી મળતી સ્કોલરશીપનો લાભ મળે તેના માટે પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને ૪૮,૦૦૦ સુધીની સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે ત્યારે સજનપર પ્રા. શાળાના ધો.૮ ના બાળકોએ સરકારશ્રી તરફથી લેવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલશીપ પરીક્ષા ૨૦૨૪ માં ૨૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી તેમાંથી ૧૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે  જેમાં શાળાના ૭ વિદ્યાર્થીઓએ ૧૦૦ થી વધુ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં શાળાનું ગૌરવ વધારેલ છે. અને આ તમામ બાળકોને અને એમને આખું વર્ષ તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન દેત્રોજા  ભારતીબેન પંચાણભાઈને સમગ્ર શાળા પરિવાર અને  આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.




Latest News