મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન
મોરબીમાં રેલ્વેની જ્ગ્યામાં ખડકાઈ ગયેલા ૪૪ દબાણો ઉપર સરકાર બુલડોઝર ફરી વળ્યું
SHARE
મોરબીમાં રેલ્વેની જ્ગ્યામાં ખડકાઈ ગયેલા ૪૪ દબાણો ઉપર સરકાર બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં લાલબાગની દિવસ પાસે જે ખાણી પીણીની બાજર હતી ત્યાંના વેપારીઓને હટાવવામાં આવ્યા હતા જેથી તે પૈકીનાં કેટલાક મચ્છુ નદીના પટમાં ગયા હતા અને કેટલાક મોરબી કેસબાગની સામેના ભાગમાં એલ.ઇ. કોલેજ તરફ જે રોડ પસાર થાય છે તેની બાજુમાં રેલવેની જ્ગ્યા આવેલ છે ત્યાં કાચા દબાણો અને કેબીનો મૂકીને ગોઠવાઈ ગયા હતા જેથી કરીને રેલ્વે વિભાગ દ્વારા એલ.ઈ. કોલેજ રોડે રેલવેની જમીન ઉપર દબાણ કરનારા ૪૪ જેટલા વેપારીઓ સહિતનાઓને તેના દબાણો જાતે દૂર કરવા માટે ચાર દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી જો કે, દબાણકારોએ દબાણ હટાવ્યા ન હતા જેથી કરીને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરીને રેલવેની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે