મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

રાજકોટથી ખરીદી કરીને મોરબી પરત આવત બે મિત્રોને લજાઈ નજીક નડ્યો અકસ્માત: એકનું મોત-એક સારવારમાં


SHARE











રાજકોટથી ખરીદી કરીને મોરબી પરત આવત બે મિત્રોને લજાઈ નજીક નડ્યો અકસ્માત: એકનું મોત-એક સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ પાસે આવેલ હોટલ સામેથી ડબલ થવાની બાઈક પસાર થતું હતું ત્યારે અજાણી કારના ચાલકે તે ડબલ થવાની બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે અજાણી કારના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક પાસે શ્રી સાબુની સામેના ભાગમાં રહેતા મીનાબેન દિનેશભાઈ રાઠોડ જાતે લુહાર (૬૦)એ અજાણ્યા કાર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૬/૫ ના રાત્રીના સવા દસેક વાગ્યાના અરસામાં તેનો દીકરો આનંદ દિનેશભાઈ રાઠોડ (૩૭) અને તેનો મિત્ર મનીષભાઈ ભગવાનજીભાઈ બંને રાજકોટ ખરીદી કરવા માટે ગયા હતા ત્યાંથી પરત મોરબી બાજુ આવી રહ્યા હતા. દરમિયાન લજાઈ ગામ નજીક આવેલ હોનેસ્ટ હોટલની સામેના ભાગમાં રસ્તા ઉપર કોઈ અજાણી કારના ચાલકે તેઓના ડબલ સવારી બાઈક નંબર એમએચ ૪૭ વી ૩૯૯૦ ને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના દીકરા આનંદને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, મનીષભાઈને માથા અને શરીરને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News