જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ


SHARE











મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ

મોરબીના રવાપર નદી ગામે ખેતીની બ્રાહ્મણ પરિવારની જમીન આવેલ છે તે જમીન  ખેડી નાખી એક શખ્સ દ્વારા ઘાસચારો સાફ કરી નાખવામાં આવેલ છે જેથી કરીને ખેતીની જમીનમાં નુકશાન કર્યાની ભોગ બનેલા પરિવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા અને ખેતી કરતાં ખેલશંકરભાઈ લીલાધરભાઈ મહેતાની રવાપર નદી ગામે માલિકીની ખેતીની જમીન આવેલ છે તેમાં ઉગેલ ઘાસચારો અને લાકડા લઈ જઈ આરોપી દેવજીભાઈ ગોવાભાઈ રબારી રહે. રવાપર નદી વાળાએ ખેતર ખેડી નાખીને નુકશાન કર્યું છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખેલશંકરભાઈએ ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપર શેરી નં-૧૧ માં રહેતા પ્રફુલાબેન મનોજભાઈ ભટ્ટી (૫૦) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના વાવડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પટકાતા અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઈ નાનજીભાઈ નામના વ્યક્તિ બાઈક લઈને મોરબીમાં સામાકાંઠે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં ઈજા થવાથી સંજયભાઈને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે. 






Latest News