મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ


SHARE





માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ

ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અને મોરબી માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજા ૨૩ વર્ષની વયે કાર અકસ્માતનો ભોગ બનેલા છે. તેમની સ્મૃતિમાં માનવતાના અનેક કાર્યો જેવા કે રક્તદાન કેમ્પ, જુદા - જુદા નિષ્ણાંત ડૉક્ટરોના મેડિકલ કેમ્પ, મંદબુધ્ધિના બાળકોને તેમજ વૃદ્ધાશ્રમોમાં જરૂરી સહાય, રમત ગમ્મત ક્ષેત્રે ક્રિકેટ અને બેડમિન્ટનની ટુર્નામેન્ટ વિગેરે કાર્યો થકી ડૉ. પ્રશાંતની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવા પ્રયાસ તેમના લઘુબંધુ સન્ની બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમાં એક વધુ સીમાચિન્હ રૂપી કાર્ય તેમના વતન માળીયા (મીં) તાલુકાના ચમનપર ગામે ગામનો જાજરમાન પ્રવેશદ્વાર ડૉ. પ્રશાંતની સ્મૃતિમાં નિર્માણ કરવામાં આવ્યો છે. આ ડૉ. પ્રશાંત બ્રિજેશ મેરજા પ્રવેશદ્વાર ચમનપરનો લોકાર્પણ કાર્યક્રમ તદ્દન સાદગીપૂર્ણ રીતે ગામના ડિસેબલ (મંદબુદ્ધિ) યુવાન એવા ગામના સપૂત હકો (નરેન્દ્ર) ના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. પ્રશાંત બાળપણમાં તેમના પિતૃભૂમિ ગામ એવા ચમનપર ખાતે અભ્યાસના વેકેશન દરમિયાન અને પ્રસંગોપાત ચમનપર સાથેનો આત્મીય લગાવ ધારાવતો હતો. આમ, ચમનપરના ગોંદરે તેમના બચપણની સ્મૃતિઓને ચમનપર ગામના પ્રવેશદ્વાર સાથે જોડીને મેરજા પરિવારે અને ગ્રામજનોએ ડૉ. પ્રશાંત મેરજાનું એક આગવું યાદગાર સંભારણું ગેટ બનાવીને નિર્માણ કરી અન્યને પ્રેરણા આપી છે. આ સાદગીભર્યા લોકાર્પણ પ્રસંગમાં સ્થાનિક ગ્રામજનો, સરપંચ અને મેરજા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.




Latest News