મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા
SHARE
મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા
મોરબીના ખાખરળા ગામે રહેતા ખેડૂતે પોતાનો જીરુંનો પાક આવ્યા બાદ તેને ગામની સીમમાં આવેલ બંધ પડેલી ઓઇલ મીલના શેડમાં મૂક્યો હતો ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જેથી 4,50,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલ આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે વધુ 2 આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને તે બંનેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (55)એ અગાઉ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ખાખરાળા ગામે આવેલ તેઓની જમીન તથા ભાગવી રાખેલ જમીનમાં તેઓએ જીરુંનો પાક લીધો હતો અને જીરૂનો તૈયાર જથ્થો તેઓની પાસે રાખવા માટેની સગવડ ન હોવાથી તેમણે સાહેદ ભગવાનજીભાઇ ભવાનભાઇ સદાતીયાની બંધ પડેલ વિષ્ણુ ઓઇલમીલના શેડમાં રાખ્યો હતો અને ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે જેથી 4.50 લાખ રૂપિયાની કિંમતના જીરૂની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનાની તપાસમાં તાલુકા પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ તાલુકા પીએસઆઇ સૌંદરવા અને તેઓની ટીમ દ્વારા આરોપી રોહિત કવુભાઈ જમખાણીયા (25) રહે. સોજલપર ડેમ પાસે જસદણ અને મહિપત ઓળખે જીગો વાસુરભાઈ સાઢમીયા (20) રહે. માર્કેટયાર્ડ પાસે વીંછીયા વાળાની ધપરપકડ કરીને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે