મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો
SHARE
તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો
મોરબીના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે અને ડીવાયએસપી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનના પીઆઇ વાય.બી.જાડેજા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ તેમજ ચીલ ઝડપમાં ગયેલ સોનાનો ચેનને પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા, રવીભાઇ પટેલ તથા અન્ય સ્ટાફ દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવેલ છે. અને કુલ ૩૨ મોબાઈલ જેની કિંમત ૭,૦૮,૭૯૧ તેમજ એક સોનાનો ચેન જેની કિંમત ૧,૭૫,૦૦૦ આમ કુલ મળીને ૮,૮૩,૭૯૧ ની શોધીને એસપી મુકેશકુમાર પટેલ તેમજ ડીવાયએસપી જે.એમ.આલ અને પીઆઇ વાય.બી.જાડેજાના હસ્તે પરત આપવામાં આવેલ છે.