મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા
મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
SHARE
મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ તથા મોરબી શાખા દ્વારા બજરંગ સીવણ કેન્દ્રમાં પ્રશિક્ષણ પૂર્ણ કરેલ બહેનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતુ મોરબીના આંબેડકર ઉપનગરની વિજય નગર વસ્તીમાં ચાલતા બજરંગ સીવણ કેન્દ્રમાં ગઇકાલે બજરંગ સીવણ કેન્દ્રમાંથી પ્રશિક્ષણ પૂર્ણ કરેલ ૯ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સેવા પ્રમુખ
ડો.જયદીપ કંઝારિયા દ્વારા બહેનોને સીવણ કાર્ય થકી સ્વાવલંબી બનવા અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંબેડકર ઉપનગરના કાર્યવાહ પારસભાઈ વોરા અને જિલ્લા સેવા ટોળીના સદસ્ય હરિભાઈ સરડવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વીર સાવરકર કેન્દ્રના સવિતાબેન ચાવડા તથા રામાનુજન પાઠદાન કેન્દ્રના પ્રીતિબેન ચાવડા તથા બજરંગ સીવણ કેન્દ્રના દિવ્યા બેન ચૌહાણે કર્યું હતું.