હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક રિપેર કરતાં સમયે તેમાં આવી ગયેલા યુવાનનું મોત


SHARE











હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક રિપેર કરતાં સમયે તેમાં આવી ગયેલા યુવાનનું મોત 

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં યુવાન પોતાની વાડીમાં ટ્રેકટર વડે ખેતી કામ કરી રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક ખરાબ થઈ જતા ટ્રેક્ટર ઊભું રાખીને તે રીપેર કરતો હતો દરમિયાન હાઇડ્રોલિકમાં તે યુવાન આવી ગયો હતો જેથી તેને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી માટે તેને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા સુરેશભાઈ તળશીભાઇ વરમોરા જાતે પટેલ (૪૫) નામનો યુવાન રણમલપુર ગામની ખારી વાડી સીમમાં આવેલ પોતાની વાડીએ ટ્રેક્ટર વડે ખેતી કામ કરી રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરનો હાઇડ્રોલિક ખરાબ થઈ ગયું હતું જેથી ટ્રેક્ટર ઊભું રાખીને તે રીપેર કરતો હતો દરમિયાન તે હાઇડ્રોલિકમાં આવી જતા તેને પેટના ભાગે ગંભીર થઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ મૃતક યુવાનના મોટાભાઈ રમેશભાઈ તળશીભાઇ વરમોરા જાતે પટેલ (૫૦) રહે. રણમલપુર વાળાએ હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરી હતી જેની પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છરી વડે ઇજા કરી

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા મુકેશ ગોરધનભાઈ સુરેલા (૨૪) નામના યુવાને પોતે પોતાની જાતે કોઈ કારણોસર છરી વડે હાથના ભાગે ઇજા કરી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.






Latest News