મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે માનસીક અસ્થીર યુવનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE





ટંકારા પોલીસે માનસીક અસ્થીર યુવનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

ટંકારામાં ગત તા. ૧૦ થી ૧૨ સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી અનુસંધાને મોટી સંખ્યામા લોકો આવ્યા હતા અને ત્યારે ટંકારાના પીએસઆઈ એમ.જે. ધાંધલના મોબાઇલ નંબર ઉપર ગત તા .૧૩ ના રાતના ૧૧:૩૦ કલાકે શ્રુતીબેનનો ફોન આવેલ હતો અને તેમણે કહ્યું હતું કે, તેઓ સહ પરીવાર સાથે ગુડગાંવ (હરીયાણા) થી ટંકારા આવ્યા હતા અને કાર્યક્રમ પુર્ણ થયા બાદ ટંકારાથી નિકળી રાજકોટ રેલ્વે સ્ટેશને ગયેલ હોય ત્યાં તેઓ સાથે તેનો ભાઈ યતીશ આર્ય (૩૪) નો જે માનસીક અસ્થીર હોય જે હાથ છોડાવી જતો રહેલ હતો અને જેથી પીએસઆઈ અને તેની ટીમે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને યતીશ આર્ય રેલ્વે સ્ટેશનેથી મળી આવેલ હતો અને લેખીત ફરીયાદ કે ગુમ અરજી ન હોય જેથી તેને માનસીક અસ્થીર હોવાથી ટંકારા પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને તેના પિતા જગદીશ શ્રીનાનકચંદ આર્યનો સંપર્ક કરી તેઓને અત્રે ટંકારા પોલીસ સ્ટેશન બોલાવેલ હતા અને ટંકારા પોલીસે આ માનસીક અસ્થીર યુવાનનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું આ કામગીરી પીએસઆઈ એમ.જે. ધાધલ અને પી.એલ.શેડા તેમજ સ્ટાફના શાહિદભાઈ સીદીકી, સાલેમામદભાઇ હાજીભાઇ, અરૂણભાઈ પરમારએ કરી હતી




Latest News