મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

રામધામના ધાર્મિક કાર્યક્રમ-જલયાત્રામાં જોડાવા મોરબીથી લોહાણા સમાજના આગેવાનો રવાના


SHARE







રામધામના ધાર્મિક કાર્યક્રમ-જલયાત્રામાં જોડાવા મોરબીથી લોહાણા સમાજના આગેવાનો રવાના

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી રામધામ-જાલીડા ખાતે યોજાનાર ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજનાં આગેવાનો રવાના થયેલ છે મોરબી શ્રી લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીમંત્રી નરેન્દ્રભાઈ રાચ્છમોરબી જલારામ સેવા મંડળ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણીજલારામ મંદિર મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન સોમૈયાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનો રામધામ જવા માટે રવાના થયેલ છે સમસ્ત રઘુવંશી સમાજની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ-જાલીડા ખાતે ત્રિદીવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ યોજાનાર હોયતેની ભવ્ય તેમજ દીવ્ય જલયાત્રા વાંકાનેર ખાતેથી પ્રસ્થાન કરશે. તે જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનોએ મોરબી શ્રી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીમંત્રી નરેન્દ્રભાઈ રાચ્છજલારામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણીચિરાગભાઈ રાચ્છકીશોરભાઈ ઘેલાણીઅનિલભાઈ સોમૈયાઅનિલભાઈ ગોવાણીશ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબીના પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન સોમૈયાની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતેથી પ્રસ્થાન કર્યુ હતુ તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે






Latest News