મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

રામધામના ધાર્મિક કાર્યક્રમ-જલયાત્રામાં જોડાવા મોરબીથી લોહાણા સમાજના આગેવાનો રવાના


SHARE











રામધામના ધાર્મિક કાર્યક્રમ-જલયાત્રામાં જોડાવા મોરબીથી લોહાણા સમાજના આગેવાનો રવાના

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી રામધામ-જાલીડા ખાતે યોજાનાર ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજનાં આગેવાનો રવાના થયેલ છે મોરબી શ્રી લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીમંત્રી નરેન્દ્રભાઈ રાચ્છમોરબી જલારામ સેવા મંડળ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણીજલારામ મંદિર મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન સોમૈયાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનો રામધામ જવા માટે રવાના થયેલ છે સમસ્ત રઘુવંશી સમાજની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ-જાલીડા ખાતે ત્રિદીવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ યોજાનાર હોયતેની ભવ્ય તેમજ દીવ્ય જલયાત્રા વાંકાનેર ખાતેથી પ્રસ્થાન કરશે. તે જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનોએ મોરબી શ્રી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીમંત્રી નરેન્દ્રભાઈ રાચ્છજલારામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણીચિરાગભાઈ રાચ્છકીશોરભાઈ ઘેલાણીઅનિલભાઈ સોમૈયાઅનિલભાઈ ગોવાણીશ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબીના પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન સોમૈયાની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતેથી પ્રસ્થાન કર્યુ હતુ તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે






Latest News