મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલા રાજકોટ સારવારમાં


SHARE







હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલા રાજકોટ સારવારમાં

હળવદ તાલુકાના દીઘડિયા ગામે વાડીએ રહેતી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને ત્યાં તે આઈસીયુમાં સારવાર હેઠળ છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના પીપળી ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દીઘડીયા ગામે ટીંબા ભગવાનની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કૈલાશબેન વિજયભાઈ બામણીયા (૧૯) નામની પરણીતા વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને ત્યાં તે મહિલા આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હોય આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જોકે પરણીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસતા જ કરવામાં આવશે

માતા-પુત્ર સારવારમાં

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળના ભાગે આવેલ મફતપરા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન ગૌતમભાઈ વાણીયા (ઉમર ૩૬) તથા અજય ગૌતમભાઈ વાણીયા (ઉમર ૧૩) ને ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલએ લવાયા હતા અને ત્યાંથી પોલીસને જાણ કરાતા હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરએ બનાવનૈ કારણ બાબતે આગળની તપાસ શરૂ કરી છે.

બાળક સારવારમાં
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામેના ભાગે આવેલ વિદ્યુતનગરના ઢાળ પાસે રિક્ષામાં રમતા સમયે નીચે પડી જતા ઇજા પામેલ હાજી ઈકબાલભાઈ મોવર (ઉમર ૮) રહે.અંજીયાસર તાલુકો માળીયા મીંયાણા નામના બાળકને અત્રેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના રાજેશભાઈ ડાંગર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વાવડી ચોકડી પાસે રહેતા પરિવારની ભૂમિકાબેન નિલેશભાઈ કંજારીયા નામની ૧૩ વર્ષની બાળકીને વાવડી ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા તેણીને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી.

બાઈક સાથે બાઈક ટકરાતા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા નામના ૨૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે નિલેશભાઈ બારૈયા વાવડી ચોકડી તરફ જતા રસ્તેથી બાઈક લઈને જતા હતા ત્યાં રસ્તામાં પંચાસર રોડ ઉપર સ્મશાન નજીક તેમના બાઇક સાથે અન્ય બાઇક અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેઓને ઈજા થતાં દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News