હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બે શખ્સોએ પત્થર વડે માર માર્યો


SHARE











ટંકારાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બે શખ્સોએ પત્થર વડે માર માર્યો

ટંકારા તાલુકાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બાબતે બોલાચાલી કરીને બાજુમાં ખેતર ધરાવતા બે શખ્સો દ્વારા પથ્થરો મારીને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઉકેડા ગામે રહેતા પરેશભાઈ રણછોડભાઈ છીપરીયા જાતે કોળી (૩૮) ને મનસુખભાઈ અને હીરાભાઈ નામના બે વ્યક્તિઓ દ્વારા પથ્થરથી મારીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા પરેશભાઈ છીપરીયાને સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ઝાલાના મેઘપર ગામે પરેશભાઈ પોતાની વાડીએ હતા ત્યારે તેઓની બાજુમાં વાડી ધરાવતા મનસુખભાઈ અને હીરાભાઈએ સેઢાની યકરાર બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પથ્થર વડે તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા પરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો આદિલ ફારુકભાઈ માલકીયા (૨૨) નામનો યુવાન મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ પાસે હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા રવિ મગનભાઈ રાઠોડ (૨૮) નામના યુવાનને અજય, મિલન અને અક્ષય નામના ત્રણ વ્યક્તિઓ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે. બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News