હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત


SHARE











ટંકારાના નેસડા અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નિપજ્યુ છે જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનામાં ટ્રક દિવાલ સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આમ જુદા જુદા બે અકસ્માતમાં બનાવવામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા નારણભાઈ પોપટભાઈ વાઘેલા (૩૭)એ હાલમાં તેમના મૃતક પિતા પોપટભાઈ પીતાંબરભાઈ વાઘેલા (૬૫) ની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે ટંકારા તાલુકાના ઓટાળા ગામથી આગળ સિમેન્ટના કારખાના પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૨૩ એફ ૫૨૨૭ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે કૂતરું ઉતાર્યું હતું જેથી કરીને તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પોપટભાઈ વાઘેલાને માથામાં અને શરીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયુ હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવવામાં હાલમાં મૃતક ના દીકરાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અકસ્માતમાં બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કબીરનગર હનુમાન મંદિરની બાજુમાં રહેતા નાગાભાઈ કારાભાઈ ચૌહાણ (૪૮)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ બીએકસ ૪૪૧૭ ના ચાલક તેના દિકરા નરેશભાઇ નાગાભાઈ ચૌહાણ (૨૫) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનામાં આરોપી ટ્રક લઈને ગયેલ ત્યારે પાર્કિંગની દિવાલમાં ટ્રક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News