મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની સેન્સ લેતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE











જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની સેન્સ લેતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ ભાજપ દ્વારા જામનગર જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના નવી ટર્મ માટેના પદાધિકારીઓની પસંદગી અંગેની પેનલના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાવામાં આવી છે જેથી કરીને તે આજે જામનગર ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના સુનિશ્ચિત કરેલ આગેવાનોને મળીને આગામી ટીમ માટે પસંદ કરવાના હોદ્દેદારો અંગેની સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈ જામનગર જિલ્લા સંકલન બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જામનગર જિલ્લા સંગઠન સંકલન બેઠકમાં તેઓ અપેક્ષિત આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્ય અને રાજ્યમંત્રી સાથે પણ પરામર્શ કરશે. આમ, બ્રિજેશ મેરજા સતત લોકો વચ્ચે રહીને જીવંત જનસંપર્ક થકી લોક સેવાની નૈતિક ફરજ પૂરી નિષ્ઠા અને નમ્રતાથી નિભાવી રહ્યા છે. તેઓ પોતાના જન સંપર્ક કાર્યાલય તેમ જ પ્રસંગોપાત મોરબી તાલુકા મંડળ અને જિલ્લા ભાજપ કાર્યાલય માં ઉપસ્થિત રહીને પણ સંગઠન અને સેવાની કામગીરીમાં પણ જોડાયેલા રહે છે.






Latest News