મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના ખેડૂતોના પાક માટે મચ્છુ-૧ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાની કોંગ્રેસની માંગ


SHARE











વાંકાનેરના ખેડૂતોના પાક માટે મચ્છુ-૧ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાની કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ખેચાયો છે જેથી કરીને ખેડુતોનો પાક ઉપર સંકટ ઊભું થયું છે ત્યારે મચ્છુ -૧ ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવે તેવી વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકામાં ઓછા વરસાદના કારણે સ્થાનિક જળાશયો ભરાયેલ નથી અને ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને બચાવવા માટે સિચાઈના પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી કરીને વહેલી તકે મચ્છુ-૧ ડેમની કેનાલ મારફતે સિંચાઇ માટેનું પાણી છોડાવવામાં આવે તેવી માંગ કરેલ છે ત્યારે સકિલભાઇ પીરજાદા, આબિદભાઈ ગઢવાળા સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા






Latest News